માફી રે માગજો – પીંગળશી ગઢવી ( 27-07-1914 )

July 26, 2006

(એની) માફી રે તમે તો સૌ માગજો પવીતર થાજો ધોઇ પાય,
અંતર મેલાંને કરો ઊજળાં જોગીડો માગે છે જવાબ.

કર બે હતા પણ કામ નો કર્યાં, પાંવ રે હતા તે ખેડ્યા નહિ પંથ,
જીભ રે હતી ને અસત ભાખિયા, આંખ્યું રે હતી ને ફર્યા થઇ અંધ.

માફી રે શ્રવણ કરી માગજો, સુણ્યો નહિ ગરીબોનો સાદ,
લક્ષ્મીદેવીને પાયે લાગજો દીધી નહી દુઃખિયાને દાદ.

કલમશાહીની માફી રે માગજો લખ્યા હોઇ ખોટો ચોપડામાં લેખ,
સહી રે લઇને અભણ છેતર્યાં, માથે ખોટ સાક્ષી મેખ.

વ્યાજ રે ખાધાં હોય જો વાણિયા, તોળવામાં કીધા ખોટા તોલ,
હજારો નફો રે કીધો હરામનો, અંતે તારા હ્રદિયાને ખોલ.

કણના કોઠારે કીધા સંઘરા, આપ્યાં નહીં ભૂખ્યાંને અનાજ,
વાટું રે જુએ છે કપરા કાળની, ને ખાધા પેટ ભરીને સમાજ.

માફી રે ભૂમિની માગતી, પ્રાચીન કીધાં તજી રાજપાટ,
શ્રીમંત હજી કાં નવ ચેતતા ? ઉઘાડો ને દીધેલાં કબાટ.

હિસાબ લેવા રે દખણ દેશનો આવ્યો છે બાવલિયો અવધૂત,
સોંપી રે દિયો ને કાળા ચોપડા, ભડકા થાશે નહીંતર ભૂત.

અણ રે સમજ થઇ અંધને, દોહ્યલું કઘાટું લાગ્યું અરે દૂધ,
આવું રે ગળે આ ક્યાંથી ઊતરે, સઘળી ખવાઇ ગઇ છે સૂધ.

પીંગળશી કે’ હજી પરિયાણમાં બેઠા કાં થઇ ને બધિર,
વેળા રે રે’શે નહીં એકેય વાતની, તાણિયાં છે કાળે જબરાં તીર.

Entry Filed under: કવિતા. .

1 Comment Add your own

  • 1. manvant  |  July 30, 2006 at 2:45 am

    કવિ ઉમાશંકર જોશીના ‘જઠરાગ્નિ’ કાવ્ય ની છેલ્લી બે પંક્તિ:-
    ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે,
    ખંડેરની ભસ્મકણી ન લાધશે !’

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

SIDDHARTH on મંદિર તારું વિશ્વ રૂપાળું …
ઈશ્ક પાલનપુરી on એક વ્યક્તિ :: નિનાદ અધ્યા…
Maheshchandra Naik on મંદિર તારું વિશ્વ રૂપાળું …
Kanubhai on Gujarati blog world
Dilip on ગીત :: સુરેશ દલાલ.…

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

July 2006
M T W T F S S
    Aug »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ

Meta