કવિ છગન શાકમારકિટમાં - અનિલ જોશી. ( 28-07-1940 )

July 27, 2006

એક સવારે થેલી લઇને છગનો નીકળ્યો બહાર રે …
પંદર કિલો સૂરણ લીધું, આઠ કિલો જુવાર રે …

મારકિટેથી પાછા વળતાં ચંપલપટ્ટી તૂટે રે …
મોચી – દર્શન પ્યાસી અખિયાં, મારગડો ના ખૂટે રે …

દસે દિશાથી હૉર્ન વાગતાં વાહન સઘળાં થંભે રે …
ટ્રાફિક જામનું કારણ થઇને છગન પડ્યો ખોરંભે રે …

અગડંબગડં ચાલ ચાલતો ટ્રાફિકના હડસેલે રે …
ટેલિફોનના વાયરછાંયે પોરો ખાવા બેસે રે …

થેલી મૂકી, ચશ્માં લૂછ્યાં, કરી ચૂંચરી આંખ રે …
વૃક્ષ વગરના ગામે જાણે ખગની ફફડે પાંખ રે …

પવન હલાવે કાગળિયાં એમ છગન હલાવે પગ્ગ રે …
સૂરણસોતી થેલી ઊંચકી ચાલ્યો ડગડગ પગ્ગ રે …

એક હાથમાં થેલી સોહે બીજા હાથમાં આંટો રે …
ઊભી બજારે છગનો જાણે હોય વજનનો કાંટો રે …

છગન પગરખાં ઘસડી ચાલે, લોક મળે તે પૂછે રે …
’કેમ છગનિયા, પરસેવો નીતરે છે તારી મૂછે રે’ …

છગન ખભાથી પરસેવો લૂછીને આગળ ચાલે રે …
તરબૂચવાળો બરકે : ‘લઇ જા, પૈસા આપજે કાલે રે’ …

એવામાં એક કૂતરું દોડ્યું, છગન ભયો લાચાર રે …
લોક શિખામણ દેવા દોડ્યા : આનો એક ઉપચાર રે …

કૂતરું મળતાં શાણા થઇને પકડી લેવી ચૂપ રે …
‘હૈડ’ કહેતાં જે ખસે નહીં ઇ કૂતરું જોખમીરૂપ રે …

ઊંટ ઉપર છેલ્લાં તરણાં શી મળી શિખામણ ભારે રે …
ઓબ્જેક્ટિવલી ભફાંગ દઇને પડ્યો છગન્ન બજારે રે …

છગન કહે : ‘હું લૉસ્ટ પ્રોપર્ટી જેમ પડ્યો સરનામે રે …
ખાતરી આપી કોઇ ન આવ્યું લેવા મને ગોદામે રે’ …

આ અમથા ઊડતા પતંગિયાનો નહીં હવાને ભાર રે …
સૂરણગાંઠ્યું ભેગી કરીને મેં સરજ્યો સંસાર રે …

છગનભારથી છગન પડે તો એમાં કોનો વાંક રે …
શબ્દોના તાંદુલ ખંખેરી બની જાઉં અવાક રે …

Entry Filed under: કવિતા. .

4 Comments Add your own

  • 1. જયશ્રી  |  July 28, 2006 at 5:03 am

    મોચી – દર્શન પ્યાસી અખિયાં, મારગડો ના ખૂટે રે …
    ટેલિફોનના વાયરછાંયે પોરો ખાવા બેસે રે …

    મજા આવી ગઇ..

    સરસ હાસ્ય કાવ્ય છે.

  • 2. shivshiva  |  July 28, 2006 at 9:53 am

    અમિત
    મઝા આવી ગઈ
    નીલા

  • 3. સુરેશ જાની  |  July 29, 2006 at 11:01 am

    આ અમથા ઊડતા પતંગિયાનો નહીં હવાને ભાર રે …
    સૂરણગાંઠ્યું ભેગી કરીને મેં સરજ્યો સંસાર રે …

    છગનભારથી છગન પડે તો એમાં કોનો વાંક રે …
    શબ્દોના તાંદુલ ખંખેરી બની જાઉં અવાક રે …

    કવિતા વાંચતાં થયું કે આમાં કવિ શું કહેવા માંગે છે? માત્ર શબ્દ ચિત્ર? પણ આ છેલ્લી પંક્તિઓ વાંચીને કવિ માટે અનહદ માન ઉપજ્યું .
    ‘શબ્દોના તાંદુલ’ લખીને તો કવિ કેટલું બધું કહી જાય છે? સુદામા અને પોતાની અભિવ્યક્તિની દરિદ્રતા , શબ્દની ય પેલે પારની અનભિપ્રેત કૃષ્ણને જોઇ કવિને પ્રાપ્ત થતી અવાકતા …
    બહોત ખૂબ.
    અનિલ જોશીની આંગળી પકડીને કાવ્ય જગતમાં ચાલતાં શીખેલો કવિ તે રમેશ પારેખ.

  • 4. manvant  |  July 30, 2006 at 2:38 am

    આ કાવ્ય કુતૂહલ ઉપજાવતા જઈ રસિક બન્યું છે.
    કવિ અને તંત્રીનો આભાર !

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું


મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

Bhavesh on આ છોકરીઓ ગજ…
Bhavesh Sutariya on Gujarati blog world
Bhavesh Sutariya on આ છોકરીઓ ગજ…
M.S. CHOUHAN on રામની અજબ ર…
sandip on એક છોકરી ગમ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

July 2006
M T W T F S S
    Aug »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ

Meta