દિલમાં દીવો કરો રે… – રણછોડ (ઇ. 18મી સદી)
July 31, 2006
દિલમાં દીવો કરો રે,
દિલમાં દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દયા-દિવેલ પ્રેમ-પરણાયું લાવો,
માંહી સુરતાની દિવેટ બનાવો;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
સાચા દિલનો દીવો જ્યારે થાશે,
ત્યારે અંધારું સૌ મટી જાશે;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દીવો અભણે પ્રગટે એવો,
તનનાં ટાળે તિમિરનાં જેવો;
એને નયણે તો નરખીને લેવો રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
દાસ રણછોડે ઘર સંભાળ્યું,
જડી કૂંચી ને ઊઘડ્યું તાળું;
થયું ભોમંડળમાં અજવાળું રે,
દિલમાં દીવો કરો રે. દિલમાં…
Entry Filed under: કવિતા. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
manvant | July 31, 2006 at 9:15 pm
છેક અઢારમી સદીનો કવિ રણછોડ તદ્દન નર્મદની જેમ
કેટ્લો સુંદર ઘર સંભાળીને દિલમાં જ દીવો પેટાવવાનું
સમજાવે છે !
વળી સાચા દિલથી કામ,ક્રોધ ત્યજી,દયા લાવી,બ્રહ્માગ્નિ
ચેતાવવાથી જન્મ-મરણનું તાળું ઉઘડે છે ……..કેટલો
ભારે સનાતન ઉપદેશ ! આભાર અમિતભાઈ !સારી શોધ છે.