ઉકળાટ - પન્ના નાયક.

ઝાડનાં પાંદડેપાંદડાં ગણું
કે ગણું દિવસ ને રાત,
તારા વિના જીવવાનો
આ કેવો વલોપાત.
થથરું ત્યારે તડકો ઓઢું
ચાંદનીનો હું ભડકો ઓઢું,
સ્મરણના આ રણમાં
હું તો કરતી રઝળપાટ.
કોઇ પૂછો નહીં કેટલું લાગે
એક વિના મને એકલું લાગે,
ઘાટના ભાંગ્યા પગથિયા પર
ઓશિયાળો ઉકળાટ.
7 comments October 3, 2006