લોકશાહી કે લૂંટશાહી ? - કવિ દાદ.

January 26, 2007

 

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો,
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે ? 

                         કરી મુખ બંધ એના હાલ, તપેલાને તપાવો ના
                         વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે ?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી પારી તમારી ક્યાં સુધી રહેશે ? 

                        બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા,
                        ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે ?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો,
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે ? 

                        વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે,
                        વધારે ડોઝ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે ?

ગયો છે ઘટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી,
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે ? 

                        હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
                        તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે ?

સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે ? 

                        મહીં છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
                        હવે ખોલો ? તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે ?

જરૂર છે રોટલાની, નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપીયા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે ? 

                         શહીદનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
                         કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરી પણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે ? 

                        કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
                        ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે ?

           

                               * * * * *  

-  લોકકવિ દાદનું હૈયાવરાળી ગીત ખરેખર ધારદાર લાગી રહ્યુ છે…  આજકલ લોકશાહીની વ્યાખ્યા કંઇક આવી થઇ ગઇ છે…
        
         Buy the people !
         Floor the people !
         Off the people !

( નહીં કે By the people, For the people & Of the people ) પ્રથમ લોકો ને મતદારો ને અને સાંસદ ને ખરીદો  ( Buy ),  પછી બધાને શામ-દામ-દંડથી ભોંભેળા ( Floor ) કરી દ્યો અને છેલ્લે કોઇ પણ ભોગે ખુરશી જોઇતી હોય તો બેરહમ બનીને નિર્દોષ જનતાને રહેંસી નાખો ( Off ). 

                   
અહીં શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય - હાલો પથ્થારી ફેરવીએ દેશની…  વાંચવા ક્લીક કરો…

Entry Filed under: કવિતા. .

2 Comments Add your own

  • 1. સુરેશ જાની  |  January 26, 2007 at 9:07 pm

    મારા બહુ જ પ્રિય કવિ. પહેલી વાર તેમનું કાવ્ય ‘વાંસલડી ડોટ કોમ’ અમદાવાદમાં સાંભળ્યું હતું ત્યારે તે ત્રણ વાર વન્સ મોર થયું હતું . તે વખતે તેમને ટાઉનહોલના સ્ટેજ પર બોલાવીને તેમનું સૈમિલ મુંશીએ અભિવાદન કર્યું હતું.

  • 2. વિવેક  |  January 29, 2007 at 5:40 pm

    સુંદર કાવ્ય… સાચી વાત અને સાચો આક્રોશ…

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

jayeshupadhyaya on નામ :: અંકિત…
himalek32 on ભાગ્ય મારુ…
Neela on નામ :: અંકિત…
pragnaju on નામ :: અંકિત…
Jina on ગૂજરાતી :: પ…

વધુ વંચાતી કૃતિઓ

Calendar

January 2007
M T W T F S S
« Dec   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ

Meta