લોકશાહી કે લૂંટશાહી ? – કવિ દાદ.

January 26, 2007

 

વલોવીને વધુ એમાં વડવાનલ પ્રગટ કીધો,
હવે આ લોક સમંદરની સબૂરી ક્યાં સુધી રહેશે ? 

                         કરી મુખ બંધ એના હાલ, તપેલાને તપાવો ના
                         વરાળો ભૂખની ઢાંકી-ઢબૂરી ક્યાં સુધી રહેશે ?

સેવાનાં અંચળા નીચે વરુનાં નહોર રાખીને,
કલેજાં કોરતી પારી તમારી ક્યાં સુધી રહેશે ? 

                        બાંધી મહેલ સપનાંનાં ને ખોદો ઘર તણા પાયા,
                        ઊભી આ લોકશાહીની હવેલી ક્યાં સુધી રહેશે ?

ભરાવે નહોર તે પહેલાં તમે આઘા ખસી જાજો,
ભૂખ્યો એ વાઘ પંપાળ્યો હવે એ ક્યાં સુધી રહેશે ? 

                        વચનનાં જામ પી પીને પ્રજા બેશુદ્ધ થઇ ગઇ છે,
                        વધારે ડોઝ ના આપો, બિચારી ક્યાં સુધી રહેશે ?

ગયો છે ઘટ હવે છલકી ઋષિનાં રક્તબિંદુથી,
રઘુના હાથમાં એ તીર અટક્યું ક્યાં સુધી રહેશે ? 

                        હરાળા તો ફરે છુટ્ટા ને પાળેલા ડબે પૂર્યા
                        તમારી દંડ નીતિની અનીતિ ક્યાં સુધી રહેશે ?

સતાવ્યા સંત તે શાસન કદી જાજું નથી ટકતું
હકુમત દશાશન જેવી હલાવી ક્યાં સુધી રહેશે ? 

                        મહીં છે સાવ ખાલી તે ખબર સહુને પડી ગઇ છે
                        હવે ખોલો ? તમારી બંધ મુઠ્ઠી ક્યાં સુધી રહેશે ?

જરૂર છે રોટલાની, નહીં કે ખાલી ટપાકાની
પ્રજાને આપીયા જુઠ્ઠા દિલાસા ક્યાં સુધી રહેશે ? 

                         શહીદનાં મસ્તકોથી ચણેલી દીવાલ સરહદની
                         કરો ત્યાં થૂંકના લેપન સલામત ક્યાં સુધી રહેશે ?

નથી એને શરમ જરી પણ બોલ્યું ફરી જાવાની
હવે આ કસમે-વાદેની ઇબાદત ક્યાં સુધી રહેશે ? 

                        કહે છે ‘દાદ’ ફુંકાશે પવન જે દિ’ એ વિપ્લવનો
                        ધુંવાડાનાં પછી એ વાદળાંઓ ક્યાં સુધી રહેશે ?

           

                               * * * * *  

-  લોકકવિ દાદનું હૈયાવરાળી ગીત ખરેખર ધારદાર લાગી રહ્યુ છે…  આજકલ લોકશાહીની વ્યાખ્યા કંઇક આવી થઇ ગઇ છે…
        
         Buy the people !
         Floor the people !
         Off the people !

( નહીં કે By the people, For the people & Of the people ) પ્રથમ લોકો ને મતદારો ને અને સાંસદ ને ખરીદો  ( Buy ),  પછી બધાને શામ-દામ-દંડથી ભોંભેળા ( Floor ) કરી દ્યો અને છેલ્લે કોઇ પણ ભોગે ખુરશી જોઇતી હોય તો બેરહમ બનીને નિર્દોષ જનતાને રહેંસી નાખો ( Off ). 

                   
અહીં શ્રી કૃષ્ણ દવે નુ એક કટાક્ષ કાવ્ય – હાલો પથ્થારી ફેરવીએ દેશની…  વાંચવા ક્લીક કરો…

Entry Filed under: કવિતા. .

2 Comments Add your own

  • 1. સુરેશ જાની  |  January 26, 2007 at 9:07 pm

    મારા બહુ જ પ્રિય કવિ. પહેલી વાર તેમનું કાવ્ય ‘વાંસલડી ડોટ કોમ’ અમદાવાદમાં સાંભળ્યું હતું ત્યારે તે ત્રણ વાર વન્સ મોર થયું હતું . તે વખતે તેમને ટાઉનહોલના સ્ટેજ પર બોલાવીને તેમનું સૈમિલ મુંશીએ અભિવાદન કર્યું હતું.

    Reply
  • 2. વિવેક  |  January 29, 2007 at 5:40 pm

    સુંદર કાવ્ય… સાચી વાત અને સાચો આક્રોશ…

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


મને ગમતાં કાવ્યોનું અમી ઝરણું

મિત્રગણ

વિભાગ

Recent Posts

મિત્રોના પ્રતિભાવ

RAGESH H. GAJJAR on એવુ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું…
ajitsinh zala,naraya… on Gujarati blog world
sudhir patel on ગિરનાર :: ઉર્વીશ વસાવડા…
vijay rohit on Gujarati blog world
vikram on કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે…

વધુ વંચાતી કૃતિઓ

દિવસવાર ટપાલ

January 2007
M T W T F S S
« Dec   Feb »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

મહિનાવાર ટપાલ

Meta