કોઇ પ્રીત કરી તો જાણે ! - મહેન્દ્ર વ્યાસ ‘અચલ’
સાભાર : કિશોરભાઇ રાવળ
કોઇ પ્રીત કરી તો જાણે !
અંતરમાં આ શીતળ અગનને કોઇ ભરી તો જાણે ! કોઇ…
દિવસ ઊગ્યે બેચેન રહેવું,
રાત પડ્યે મટકું ના લેવું,
ખોવાયા ખોવાયા જેવી,
પળપળને વિસરાવી દેવી ;
જીવતેજીવત આમ જીવનમાં કોઇ મરી તો જાણે ! કોઇ…
દુનિયાની તીરછી દૃષ્ટિમાં,
વેધક વાણીની વૃષ્ટિમાં,
મસ્ત બનીને ફરતાં રે’વું,
મનનું કૈં મન પર ના લેવું,
ખુલ્લે પગ કંટકભર પથ પર કોઇ ફરી તો જાણે ! કોઇ…
મોજાંઓના પછડાટોથી,
ઝંઝાનિલના આઘાતોથી,
નૌકા જ્યાં તૂટી પણ જાયે
સાગર જ્યાં રૂઠી પણ જાયે,
એવા ભરસાગરમાં ડૂબી કોઇ તરી તો જાણે !…
કોઇ પ્રીત કરી તો જાણે !
13 comments May 21, 2007