શ્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી ( કે.કા. શાસ્ત્રી) 28-07-1905 :: 09-09-2006
ગુજરાતી અને સંસ્કૃત ના વિદ્વાન એવા શ્રી કે.કા. શાસ્ત્રી ના અવસાન થી ગુજરાતી સાહિત્ય એ એક અમુલ્ય રત્ન ગુમાવ્યુ છે. વિશ્વ હિંદુ પરિષદ ના સ્થાપક સભ્ય મા ના એક.
ઇશ્વર તેમના આત્મા ને શાંતિ અને સદગતિ આપે.
સમર્થ વિદ્વાનની વિદાય : મોરારી બાપુ
ગુજરાતે ઋષિપુરુષ ગુમાવ્યા : અશોક સિંઘલ
સાહિત્યકાર પ્રકાંડ પંડિત મહામહિમમોપાધ્યાય પદ્મશ્રી કે.કા. શાસ્ત્રી ને વંદન.
September 10, 2006
પ્રખ્યાત હાસ્ય લેખક અને ગુજરાતી સાહિત્યના હીરલાસમ્ શ્રી બકુલ ત્રિપાઠી આજે આપણી વચ્ચે નથી. તેમનુ હાર્ટ એટેક થી દુઃખદ અવસાન થયુ છે. ઇશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ તથા સદગતી અર્પે અને તેમના પરિવાર- જનોને આ આઘાત સહન કરવાને શક્તિ આપે. તેમને શ્રદ્ધા સુમન અર્પણ કાજ અહીં તેમની એક કવિતા.
એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.
તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીજીની હદ આવી ગઇ.
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.
હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?
સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !
August 31, 2006
મિત્રો ,
ગુજરાતી લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની આજે ,20મી ઑગસ્ટ, ના રોજ 41 મી પુણ્યતિથી છે.
હેમુ ગઢવીનો જન્મ સાયલાના ઢાંકળિયા ગામે તા. 04-09-1929 નાં રોજ.
હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.
હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન…
સ્વ. શ્રી. હેમુભાઇ ગઢવી ના કંઠે ,,
ઓ રંગરસીયા, ક્યા રમી આવ્યા……આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.
કાન તારી મોરલીયે મોહીને………..આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.
August 20, 2006
આજે અમીઝરણાને નવું સ્વરૂપ મળ્યું છે.
July 16, 2006