ઉકળાટ – પન્ના નાયક.
ઓક્ટોબર 3, 2006 at 11:03 પી એમ(pm) 7 comments
ઝાડનાં પાંદડેપાંદડાં ગણું
કે ગણું દિવસ ને રાત,
તારા વિના જીવવાનો
આ કેવો વલોપાત.
થથરું ત્યારે તડકો ઓઢું
ચાંદનીનો હું ભડકો ઓઢું,
સ્મરણના આ રણમાં
હું તો કરતી રઝળપાટ.
કોઇ પૂછો નહીં કેટલું લાગે
એક વિના મને એકલું લાગે,
ઘાટના ભાંગ્યા પગથિયા પર
ઓશિયાળો ઉકળાટ.
Entry filed under: કવિતા.
1.
vijay | ઓક્ટોબર 3, 2006 પર 11:06 પી એમ(pm)
Ghani sundar kavita ane tevuj sachot chitra..
Amitbhai tamari najar sachot chhe
abhinamdan
2.
manvant | ઓક્ટોબર 4, 2006 પર 3:09 એ એમ (am)
” એક વિના મને એકલું લાગે”
એ કોણ ????
3.
nilam doshi | ઓક્ટોબર 4, 2006 પર 12:13 પી એમ(pm)
nice selection.congrats,amit
4.
amit pisavadiya | ઓક્ટોબર 4, 2006 પર 1:06 પી એમ(pm)
મણી દાદા ,, એ કોણ ??? તેનો મને હજુ ભેટો નથી થયો ,, થશે ત્યારે તમને જણાવીશ, હો કે. 🙂
5.
Ajay Patel | ઓક્ટોબર 4, 2006 પર 11:28 પી એમ(pm)
“થથરું ત્યારે તડકો ઓઢું, ચાંદનીનો હું ભડકો ઓઢું,
સ્મરણના આ રણમાં, હું તો કરતી રઝળપાટ.”
એકલતા નું દર્દ વ્યકત કરતી સરસ રચના.
પન્નાબેન નાયક ને અભિનંદન.
6.
Urmi Saagar | ઓક્ટોબર 5, 2006 પર 2:04 એ એમ (am)
very nice rachanaa….
7.
harish | ઓક્ટોબર 5, 2006 પર 7:19 પી એમ(pm)
Very nice poem