Archive for ઓક્ટોબર, 2008
નૂતન વર્ષાભિનંદન
સર્વે મિત્રોને…
દિપાવલીની હાર્દિક શુભેચ્છાઓ…
નૂતન વર્ષાભિનંદન…
સાલ મુબારક…
અમિત પિસાવાડિયા…
શ્રી ભગવતસિંહજી…
શ્રી ભગવતસિંહજીની જન્મતિથિ નિમિતે…
ગોંડલનું ‘ વિહારી’ કૃત રાજગીત ::
ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,
નંદનવન અણમોલ –
વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,
ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.
સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,
નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.
કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,
કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.
રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,
પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય.
ગઝલ :: હઝલ !
ગઝલ હઝલ !
શ્રી અમૃત ઘાયલ. શ્રી નિર્મિશ ઠાકર.
એ ઘડી પણ એક વખત આવી હતી, ખોલવા તાળું ન એ ફાવી હતી,
સુખની મારા હાથમાં ચાવી હતી. સુખની મારા હાથમાં ચાવી હતી !
કોઇની સમજાવી એ સમજી નહીં, એ કશું સમજ્યો ન’તો ને એ છતાં –
આંખને એણે ય સમજાવી હતી. આંખને એણે ય સમજાવી હતી !
આમ તો મારગ બહુ સીધો હતો, માત્ર ફેરા લાખચોરાશી ફરી –
જિન્દગીને ઠોકરો ખાવી હતી. જિન્દગી ને ઠોકરો ખાવી હતી !
નીરખી રણ પાણી પાણી થઇ ગયા, નીરખી રણ પાણી પાણી થઇ ગયાં,
રામ જાણે શું ઘટા લાવી હતી ! ન્હેર નકશામાં જ લંબાવી હતી !
આટલી ઝાંખી હશે ન્હોતી ખબર, આગિયાએ સૂર્ય પર ફેંકી, પછી –
રોશનીને મેં ય બિરદાવી હતી. રોશનીને મેંય બિરદાવી હતી !
આમ અંતરિયાળ છોડી ક્યાં ગયા હાસ્યપ્રેરક કાવ્ય છે, હું તો નથી !
દોસ્તો, કૈં તો દયા ખાવી હતી. દોસ્તો કૈં તો દયા ખાવી હતી !
મ્હેરબાની એમની કે સાંભળી, કેમ બેસાડ્યો ગળું ઝાલી મને ?
મારે પણ ‘ઘાયલ’ ગઝલ ગાવી હતી. મારે પણ ‘નિર્મિશ’ હઝલ ગાવી હતી !
નવરાત્રી
શક્તિનુ પર્વ
એટલે નોરતા ( નવરાત્રી ) …
અસત્ય પર સત્યના વિજય ના આ પર્વ પર સર્વે મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…
એ હાલો … રાસ-ગરબા ની રમઝટ માંણીએ…
મિત્રોના પ્રતિભાવ