Archive for જાન્યુઆરી, 2009
તું લખ ગઝલ :: આહમદ મકરાણી
વેદ ને કુરાનની વાતો પછી –
જાત જો સમજાય તો તું લખ ગઝલ…
શ્રી આહમદ મકરાણી સાહેબના ચોથા ગઝલ સંગ્રહ “તું લખ ગઝલ” નું વિમોચન
તા. 10-1-2009 નાં રોજ , ઉપલેટા ખાતે યોજાઇ ગયુ…
શ્રી ગોવિંદ ગઢવી ‘સ્મિત’ ,તેઓશ્રીએ મુશાયરાનો દોર બહુ સરસ રીતે સંભાર્યો હતો…
મુશાયરાના અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઇ નાણાવટી સાહેબે કહ્યુ કે ગુજરાતી ગઝલનાં
ઇતિહાસમાંથી ફક્ત 10 શેર ચુંટવાના થાય તો ….. શ્રી મકરાણી સાહેબનો આ શેર
તેમાં અચુક સ્થાન પ્રાપ્ત કરે…
અચાનક ફરીથી જ મા યાદ આવી,
બધાંયે દરદની દવા યાદ આવી…
આ પ્રસંગે આવેલ મહેમાનો માં શ્રી પ્રફુલ્લ નાણાંવટી, શ્રી ગોવિંદ ગઢવી,
શ્રી દેવેન શાહ, શ્રી અંજુમ ઉઝયાન્વી, શ્રી ઉર્વીશ વસાવડા, તથા
શ્રી મીરા આસિફ, સૌએ પોતપોતાની હ્રદયાકૃતિઓથી
રસિક શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતા…
અહીંના એટલે કે ઉપલેટાનાં શબ્દલોકનાં સ્થાનિક કવિઓએ પણ મુશાયરામાં બહુ જ
સુંદર રંગ જમાવ્યો હતો…
શ્રી મકરાણી સાહેબ ના નૂતન ગઝલ સંગ્રહમાંથી હાલો હવે માણીએ
એક સુંદર રચના…
લટથી…
નજરને હટાવી લીધી એ તરફથી ;
અહીં આંગળાં દાઝવાનાં બરફથી.
પછી જંગલે એક અફવા ઊડી છે ;
મદારી જ પોતે ડરે છે સરપથી.
નહીંતર આ સહરા તપે આટલું ના ;
તપી એ ગયો છે સદા કૈસ-તપથી.
રહે આંગળાં એમ ફરતાં ભલેને ;
ન પકડાય ક્યારેય એ માત્ર જપથી.
ન તલવારનો ખપ, ન ખંજર ખપે છે ;
ઘણાં દિલ હણાતાં અહીં એક લટથી…
મિત્રોના પ્રતિભાવ