ભણેલા માણસો – સુરેશ દલાલ.
ડિસેમ્બર 10, 2006 at 8:30 પી એમ(pm) 10 comments
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
નરી કોરી ચર્ચાઓ, અહમનાં તીખાંતમ મરચાંઓ
નહીં કોઇ વિચારણા, કેવળ પૂર્વગ્રહિત ધારણા
બંધ બારીબારણાં.
સરસ્વતીના આટલા બધા કાદવથી ખરડાયેલા ચરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
વિદ્યાર્થીમાં ધન જુએ, સાધન જુએ, સાધનાનું નામ નહીં
ખુન્નસ, હુંસાતુંસી, ઝેરીલી-વેરીલી વૃત્તિ, ખાર,
આપણું તો કામ નહીં.
લોકોનાં આટલી હદે થીજી ગયેલાં ઝરણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
રાજકારણનો ગંદવાડ, મવાલી મનનો મંદવાડ,
બધાં જ ઠૂંઠાઓ, નહીં કોઇ પ્હાડ, સરોવર કે ઝાડ.
સંસ્કારની વાતોનો તો વહી ગયો યુગ
માણસને માણસની આટલી બધી સૂગ !
ચારે બાજુ ટાંટિયાની ખેંચતાણ :
વ્હેમનાં વમળ ને ક્યાંય પ્રેમ નહીં.
સાંદીપનિના આશ્રમમાં કેવળ ઉત્તર વિનાના પ્રશ્ન,
નહિં સાંદીપને, નહિં સુદામા, નહિં કૃષ્ણ.
કોઇ તો કહો કે આ બળબળતું રણ કેમ ?
ભણેલા માણસો આટલા બધા અભણ કેમ ?
Entry filed under: કવિતા.
1.
કલ્પેશ | ડિસેમ્બર 10, 2006 પર 11:24 પી એમ(pm)
થોડા દિવસ પહેલા હુ મારા પપ્પા/બહેન જોડે વ્રુદ્ધાશ્રમ વિષય પર વાત કરી રહ્યો હતો.
આપણા ભણતરમા પાયાના શિક્ષણનો અભાવ છે.
આપણે આપણા મા-બાપને માન નથી આપતા તો દેશના આપણા ભાઇ-ભાંડુના માટે શુ કરીશુ?
શિક્ષિત હોવા તરીકે આપણા પર બહુ જ મોટી જવાબદારી છે.
2.
nilam doshi | ડિસેમ્બર 11, 2006 પર 8:17 એ એમ (am)
મને ખૂબ ગમતું કાવ્ય.ઉત્તર વિનાના પ્રશ્નો…ઉતર તો કદાચ છે..પણ…….
ખાલી શબ્દોથી શું થઇ શકે?
આભાર, અને અભિનન્દન અમિત..સરસ પસંદગી માટે
3.
Neela Kadakia | ડિસેમ્બર 16, 2006 પર 7:08 પી એમ(pm)
શબ્દો તો સારા લાગે છે પણ કોઈ જીવનમાં ઉતારે છે ખરું ? આ આંધળી દોટમાં !
4.
Dilip Patel | ડિસેમ્બર 17, 2006 પર 3:17 એ એમ (am)
ઘટનું ઘડતર ન કરી શકે એવું આજનું ભણતર સમાજને બળવત્તર કરવાને બદલે બદતર ન કરી બેસે એ માટે સજાગ થવું જ રહ્યું. ખૂબ સરસ ગીત.
એક હાઈકુ આ સંદર્ભમાં.
બહુ ભણેલો
કક્કો બારાખડીને
ભૂલી ગયો છે
5.
Dilip Patel | ડિસેમ્બર 17, 2006 પર 3:21 એ એમ (am)
કવિલોક પર આ ગીતની લિન્ક શું આપી શકું? આભાર.
6. બહુ ભણેલો - હાઈકુ « કવિલોક / Kavilok | ડિસેમ્બર 17, 2006 પર 11:19 એ એમ (am)
[…] ગુજરાતી કાવ્યજગતના શિરમોર કવિ શ્રી સુરેશ દલાલનું ‘ભણેલા માણસો’ એક સ-રસ ગીત છે જે અમીઝરણું બ્લોગની આ લિન્ક https://amitpisavadiya.wordpress.com/2006/12/10/manas-sureshdalal/ પર અવશ્ય માણવા જેવું છે. […]
7.
Nilesh Vyas | ડિસેમ્બર 18, 2006 પર 4:46 પી એમ(pm)
જીવનમાં ઉતારવા જેવી વાત
8.
gopal h parekh | ડિસેમ્બર 22, 2006 પર 6:41 એ એમ (am)
sachot kavya
9.
જીતેન્દ્ર જે. તન્ના | મે 28, 2007 પર 7:42 પી એમ(pm)
ખુબ સરસ. એકદમ ચોટદાર.
10.
vishwa | જુલાઇ 26, 2012 પર 5:54 પી એમ(pm)
thanku sir